સૌરાષ્ટ્રમાં જેટલા પણ લોકો વસે છે, આ સાથે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેટલા પણ લોકો વસે છે ને એ બધાની એક સમસ્યા કોમન હશે લાઈટ જતી રહે છે. થોડો પવન આવ્યો તો લાઈટ જતી રહી, વરસાદ આવ્યો તો લાઈટ જતી રહી, ગરમી વધારે પડી તો વાયર ભરી ગયો એટલે લાઈટ જતી રહી. આ સમસ્યા કદાચ સૌરાષ્ટ્રના ગામોમાં કેટલાય વર્ષોથી છે પરંતુ આનું હજુ સુધી તો કોઈ નિરાકરણ આવ્યું નથી. પરંતુ હવે નિરાકરણ આવવા જઈ રહ્યું છે અને હવે ટૂંકજ સમયમાં તમને 24 કલાક લાઈટ મળશે અને આ 24 કલાક લાઈટ આગળના સમયમાં જેટલા પણ ખેતીવાડી વિસ્તારમાં રહે છે એ બધા લોકોને પણ મળવા જઈ રહી છે.
શું હવે બધાને મળશે 24 કલાક વીઝળી ? એ પણ કોઈ કાપકૂપ વિના? જાણો કેવી રીતે?
આમ જોવા જઈએ તો ગામડાઓમાં જે લાઈટ આવે છે એમાં જે વોલ્ટેજ હોય છે ને એ લો હોય છે શહેરના મુકાબલે. પરંતુ હા એના હિસાબે જ શહેર કરતાં ગામ ગામડાઓમાં લાઈટ વધુ જાય છે. આ સાથે જેટલા પણ ખેતીવાડીના વિસ્તાર છે ત્યાં પણ લાઈટ જતી રહેતી હોય છે. જેના કારણે ઘણા બધા લોકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ હવે આ જ બધી સમસ્યાઓનું સમાધાન થવા જઈ રહ્યું છે એટલે કે હવે આગળના સમયમાં વીજ કંપની કોડ કંડકટર વીજ લાઈન લાવવા જઈ રહી છે.
આ કોડ કંડકટર વીજ લાઈન છે શું જેનાથી 24 કલાક લાઈટ મળશે એની વાત કરીએ.
અત્યારે વરસાદ કે વાવાજોડાને કારણે તો ક્યારેક લાઈન ગરમ થવાને કારણે સૌથી વધુ વીજ લાઈન ટ્રીફ થતી હોય છે. પરંતુ હવે ક્વોર્ડ કંડકટરમાં વીજ લાઈનમાં એક વાયરની ઉપર બે લેયરનો કવર હશે. જેના લીધે અંદરના વાયરને બહારના પરિબળો અસર નહીં કરે. એટલા માટે થઈને આ બધા જ ગામડાઓમાં લાઈટ નહિ જાય ખાસ કરીને આ કારણોસર તો નહીં જ જાય. અને ખાસ કરીને આ જે લાઈન છે ને એ 1 ડિસેમ્બર બાદ સૌરાષ્ટ્રના ગામોમાં નાખવાની શરૂઆત પણ કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
પરંતુ આ કોડ કંડકટર જે વિન્ડ લાઈન છે એ કેવી રીતના કામ કરે છે? તેની વાત કરીએ.
જો સૌથી પહેલા એ સમજી લેજો કે જે વાયર છે એની ઉપર ઇન્સ્યુલેશન નું એક લેયર હોય છે. આ વેન્સ્યુલેશન લેયરનો મતલબ એમ થયો કે કોઈ પણ બહારનું પરિબળ છે જેમ કે વરસાદનું પાણી છે, વધારે પડતું ગરમ થઈ જાય તો જે ઓગળી જાય એના કારણે જે લાઈટ ગુલ થઇ જાય છે ને એ સિસ્ટમ બિલકુલ નહીં થાય, કારણ કે ઇન્સ્યુલેશન લેયર આવી ગયું. જેના કારણે અંદરનો જે રિયલ વાયર છે ને એમાં એની કોઈ જ અસર નહીં થાય અને જે વીજળી છે એ અવિરતપણે આવતી રહેશે.
હવે આ કોડ કંડકટર વીજ લાઈન છે એના કેટલાક ફાયદાઓ છે કે જે તમારે જાણવા જરૂરી છે.
સૌથી પહેલા એની વાત કરીએ હવે ક્વોડ કંડકટર વીજ લાઈનથી વીજ વિતરણ મજબૂત બનશે. જેથી લોક વોલ્ટેજની સમસ્યા જ નહીં રહે. આ વાયરને કાટ નથી લાગતો જેથી કાર્ડથી સુરક્ષિત કરશે. આ સાથે જ એક્સિડેન્ટ રીતે કોઈપણ પ્રકારનું જે શોર્ટ સર્કિટ થાય છે એમાંથી પણ બચી શકાશે. વરસાદ વાવાજોડા કે ભેજની અસર પણ નહીં થાય. વીજ શોક અથવા તો આગના જોખમને પણ ઘટાડી શકે છે. અન્ય કેબલની તુલનામાં લાંબો સમય પણ આ જે વાયર છે એ ચાલી શકે છે. ઝાડની ડાળીઓને સ્પર્શ કરતી વખતે કોઈ પણ પ્રકારની વિક્ષેપ એટલે કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. અને ખાસ કરીને જેટલા પણ જંગલ વિસ્તારો છે ખાસ કરીને આપણે બધાને ખબર છે કે ગીરના ગામ ગામડામાં સતત લાઈટ જતી રહેતી હોય છે ત્યાં જો આ વાયરની સિસ્ટમ લાવવામાં આવે તો ચોક્કસથી ત્યાં લાઈટ બિલકુલ નહીં જાય.
ગામડાના લોકોને શું ફાયદો થશે?
તમારા આસપાસ એવા કેટલાય ગામો હશે અથવા તમે ગામડામાં રહેતા હશો તો ચોક્કસથી તમારે ત્યાં લાઈટ આ કારણો અનુસર જાતી જશે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે એક ઝાપટું પવનનો આવે ને તો લાઈટ જતી રહેતી હોય છે અથવા તો પહેલો વરસાદ આવે ને તો પણ લાઈટ જતી રહેતી હોય છે. અને ગામડાઓમાં તો સતત જોયેલું છે કે વરસાદની સીઝનમાં રોજે એક થી બે વખત લાઈટ જતી રહેતી હોય છે. આ સાથે જ એવું માનવામાં આવે છે કે જે વીજલાઈન છે એને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે અને જે વીજળી છે એ અવિરતપણે આવતી રહેશે એટલે કે 24/7 આપણને વીજળી મળતી રહેશે.
એનાથી ચોક્કસથી જે ખેતીવાડીના વિસ્તારો છે ત્યાં તો ફાયદો થશે પરંતુ જે સામાન્ય જનતા છે એમને પણ ફાયદો થશે.